Wednesday 20 May 2015


સાવધાન, અહીં આત્મા રસ્તો ઓળંગે છે. આજે થોડો નવરાશનો સમય હતો અને આથી જ નાનાં બાળકોને રમતાં નિહાળવા બેસી રહેવાની ઇચ્છા થઈ. બાળકો અવનવી વાતો કરતાં હતાં. ત્યાં અચાનક જ એક બાળકે તેના મિત્રને કહ્યું, "ચાલો ભૂત ભૂત રમીએ." આ સાંભળીને મારું મન ફ્લોરિડા પહોંચી ગયું.
જેમ આપણું મન ગમે ત્યાં ગમે ત્યારે પહોંચી જાય છે તે જ રીતે કોઈ આત્મા, ભૂતપ્રેત કોઈ સ્થળે પહોંચી જાય તો? આ દુનિયામાં એેક એવું સ્થળ છે જ્યાં રહેતા લોકો ભૂતો સાથે વાતો કરે છે. તેમને પોતાના ઘરે બોલાવે છે, સવાલ-જવાબ કરે છે. એવું નથી કે જેનો આત્મા હોય કે ભૂત હોય તેનું મૃત્યુ ત્યાં જ થયેલું હોય. ભારતનાં તો શું દુનિયાનાં ગમે તે શહેર, ગલી કે ઘર હોય. અરે, તમારા ઘરમાં જ મૃત્યુ પામેલા સ્વજનનો આત્મા કે ભૂત પણ આ લોકો બોલાવી શકે છે અને તમારી સાથે વાત પણ કરાવી શકે છે. અજીબ લોકોની ગજબની પળો છે. આ કોઈ મજાક નથી. આ વાતો સો ટકા સાચી છે. અમેરિકાના રાજ્ય ફ્લોરિડા અને તેની વોલુસિયા કાઉન્ટીમાં એક વસ્તી રહે છે. આ સ્થળનું નામ છે કાસોડગા. કાસોડગા એક એવા સ્થળનું નામ છે જ્યાં રહેતા મોટા ભાગના લોકો ભૂતો સાથે વાતચીત કરી શકે છે. કેટલાંય ઘરના લોકો પોતાના ઘરમાં ભૂતોની સાથે જ રહે છે અને આટલું ઓછું હોય તેમ એમને બોલાવે પણ છે. આ સ્થળ એક મીડિયમ એટલે ત્યાં રહેતા લોકો આ દુનિયા અને ભૂતો વચ્ચેના માધ્યમ તરીકે પ્રખ્યાત છે, આથી જ આ સ્થળને પેરાનોર્મલ કેપિટલ ઓફ ધ વર્લ્ડ તરીકે ઓળખવામાં આવે છે. આ સ્થળ અને તેની સાથે જોડાયેલાં ઉપનામો અને ઓળખ પાછળની મૂળ કહાની આ મુજબ છે. ૧૮૭૫માં જ્યોર્જ પી. કોલ્બી નામની એક વ્યક્તિ ફ્લોરિડા આવી. જ્યોર્જ કોલ્બી વર્ષોથી ભારતીય શાસ્ત્રો અને પુરાણોનો અભ્યાસ કરી આત્માઓ સાથે વાત કરવાનો અને તેમને બોલાવવાનો પ્રયત્ન કરતા હતા. તેઓ એક સ્પિરિચ્યુઅલ ગાઇડ તરીકે ન્યૂ યોર્કમાં કાર્ય કરતા હતા. કહેવાય છે કે આ જ સમય દરમિયાન કોલ્બી એક આત્મા સાથે વાત કરી રહ્યા હતા ત્યારે તે આત્માએ તેમને કહ્યું કે, તે ફ્લોરિડા જાય અને ડેયટોન પાસે તેઓ એક સ્પિરિચ્યુઅલ મીડિયમ તરીકે કામ કરે! કોલ્બી પેલા આત્માની વાત માની ફ્લોરિડા આવ્યા અને તેમણે અહીં પોતાની મીડિયમ તરીકેની પ્રવૃત્તિ શરૂ કરી. તેમણે જ આ સ્થળને નામ આપ્યું 'કાસોડગા'. પાછળથી ૧૮૯૪માં તેમના સ્પિરિચ્યુઅલ કેમ્પ મિટિંગ એેસોસિએશને એક વોરંટી ડીડ સહી કરી અને ૩૫ એકરની જમીન મીડિયમ તરીકે કામ કરવા માટેનો અભ્યાસ અને તાલીમ લેવા માટે આવનારા લોકો માટે ત્યાં કેમ્પ શરૂ કરવામાં આવ્યા.
સમય પસાર થતાં તેમાંના ઘણાં લોકો ત્યાં જ રહેવા આવી ગયા અને આજે જો તમે કાસોડગામાં લટાર મારવા નીકળો તો મોટા ભાગના ઘરની બહાર બોર્ડ લટકતું હોય છે કે, 'મીડિયમ ફોરસ્પિરિટ્સ' અથવા 'રીડિંગ ફોર સ્પિરિટ્સ'. ત્યાં રહેતા અને આત્માઓને બોલાવવાનું જ કામ કરતા. લોરેન્સ કે જે ર્સિટફાઇડ મીડિયમને તે કહે છે કે, કાસોડગાનાં અનેક ઘરોમાં આત્માઓ રહે છે. અહીં મૃત્યુ પામેલા કેટલાય જીવ હજી પણ અહીં જ ક્યાંક આજુબાજુમાં ભટકે છે. લોરેન્સ એક સફેદ રંગની ઇમારતને દેખાડતા કહે છે કે આ ઘરમાં અનઇન્વાઇટેડ ગેસ્ટ રહે છે. ઘણાં બધાં ભૂતો અહીં રહે છે. તેઓ કહે છે કે ક્યારેક ૧૮૦૦ની સાલની આસપાસ એક લેડી રોજ હું સૂઈ ગયો હોઉં ત્યારે રાત્રે સફેદ શર્ટમાં આવે છે અને તે કાયમ કહેતી હોય છે મારે કંઈક કહેવું છે અને હું આંખો ખોલું છું ત્યારે અચાનક તે ક્યાંક ગાયબ થઈ જાય છે. 'બ્રિધામ હોલ' નામના આ ઘરમાં એક નહીં પણ અનેક આત્માઓ આજે પણ રહેતા હોવાનું લોકો કહે છે. ત્યાર બાદ લોરેન્સ કાસોડગાના એક મેગ્નેટિક પોન્ડ પાસે લઈ જાય છે. કહે છે કે આ તળાવનું પાણી હોલી વોટર (પવિત્ર પાણી) છે. કહે છે કે કોલ્બી પોતાના અભ્યાસ અને સાધના માટે આ જ પાણી વાપરતા હતા અને આ પાણી જ અહીં આ સ્થળ પર મુખ્ય સ્ત્રોત છે જે આત્માઓને અહીં બોલાવે છે. ત્યાંના લોકો જણાવે છે કે, જ્યારે કોલ્બીનું મૃત્યુ થયું ત્યારે તેમને દફનાવવામાં નહીં પણ અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યો હતો અને તેમની રાખને આ જ તળાવમાં વહાવી દેવામાં આવી હતી.
એક બીજી કહાની એ છે કે કાસોડગામાં એક વૃદ્ધ માનો દીકરો તેની સાથ ઝઘડો કરી ઘર છોડીને ચાલ્યો ગયો હતો અને ત્યાર બાદ તેની માતાએ તેને ખૂબ શોધ્યો છતાં તે મળ્યો નહીં. આખરે તેની રાહ જોતાં જોતાં માતાનું મૃત્યુ થઈ ગયું. ત્યાંના લોકોને આ માતાની હાલત અને પીડાની ખબર હતી આથી તેના મૃત્યુ બાદ લોકોએ તેના આત્માને બોલાવી તેની સાથે વાત કરવા વિચાર કર્યો. તેમની ઇચ્છા જાણવાના આશયથી તેમના આત્માને તે લોકોએ એક રૂમમાં ભેગા થઈ બોલાવ્યો. તે માતાનો આત્મા હજી પણ પોતાના બાળકને શોધી રહ્યો હતો. આખરે લોકોએ પોતાની પેરાનોર્મલ શક્તિઓ અને અભ્યાસ કરી, મહેનત કરી ત્યારે જાણવા મળ્યું કે તે દીકરાનું પણ મૃત્યુ થઈ ચૂક્યું છે અને તે પણ પોતાની માતાને મળવા આવ્યો હતો, પણ તે આવ્યો ત્યાં સુધીમાં તેની માતાનું પણ મૃત્યુ થઈ ગયું હતું.
આપણે ત્યાં જે રીતે રસ્તા ઉપર સા

No comments:

Post a Comment