Wednesday 20 May 2015

દરરોજ ઝાડ પર ગામના કોઈ ને કોઈ કુંવારા યુવાનની લાશ લટકતી મળતી અને આ બધી જ લાશોમાંથી લોહી અને કાળજું ગાયબ થઈ જતાં. આ ઘટનાઓને કારણે ડરેલા ગામવાસીઓનો પારો સાતમા આસમાને પહોંચી ગયો
ડાકણ શબ્દ જ મનમાં ડર પેદા કરે તેવો છે. ભારતભરનાં વિવિધ ગામડાઓ અને શહેરોમાં ડાકણોની વાતો બહુ પ્રચલિત છે. આવું જ એક ગામ મહારાષ્ટ્રનું હારંગુલ છે જ્યાં ૧૫મી શતાબ્દીમાં ડાકણોએ ગામ પર કાળો કેર વર્તાવ્યો હતો.
મહારાષ્ટ્રના લાતૂર જિલ્લામાં સ્થિત હારંગુલ એક એવું ગામ છે જ્યાં પાંચસો વર્ષ પહેલાં ડાકણોનો ખોફ હતો. સામાન્ય રીતે ભૂતપ્રેત વ્યક્તિ મૃત્યુ પામ્યા પછી બને છે, પરંતુ ડાકણો વિશે એવું કહેવાય છે કે તેઓ જીવિત પિશાચ હોય છે. તે કાળો જાદુ કરે છે. તેમાં સિદ્ધિઓ મેળવવા તેઓ તાંત્રિક વિધિઓ કરે છે અને તેના માટે માનવનો બલિ આપે છે. ત્યારબાદ મનુષ્યનું રક્તપાન અને માંસ ભક્ષણ કરતી. કહેવાય છે કે જેમ જેમ તેને તાંત્રિક સિદ્ધિઓ મળતી જતી તેમ તેમ ડાકણો વધારે ને વધારે શક્તિશાળી બનતી જતી.
હારંગુલ ગામની ડાકણો ખૂબ જ શક્તિશાળી હતી. તેને કારણે પાંચસો વર્ષ પહેલાંથી લઈને અત્યાર સુધી કોઈ ચેનથી રાત્રે સૂઈ નથી શક્યું. પાંચસો વર્ષ પહેલાં કેટલીક ડાકણો ભેગી થઈને કાળા જાદુના બળે અન્ય સ્ત્રીઓને પણ ડાકણમાં પરિર્વિતત કરી દેતી. દિવસે તો ડાકણો ગાયબ રહેતી, પણ રાત્રે આકાશમાં અંધારું છવાતાં જ તેઓ સક્રિય થઈ જતી. તેમણે એક-એક કરીને ગામનાં ઘરોને નિશાન બનાવવાનું શરૂ કર્યું. જોતજોતામાં આખું ગામ ભયાનક ડાકણોની ચુંગાલમાં આવી ગયું હતું. ડાકણોએ હવે શિકાર કરવાનું શરૂ કરી દીધું હતું.
એવું કહેવાય છે કે ડાકણોનો ચહેરો ભયાનક હોય છે, પરંતુ શિકાર કરવા માટે તેઓ અપ્સરા જેવું સુંદર રૂપ પણ ધારણ કરી શકતી હતી. રાતના અંધારામાં ડાકણો એકલ-દોકલ બહાર ફરતા યુવાનોને પોતાની મોહજાળમાં ફસાવતી. જુવાન કુંવારા યુવકો ડાકણોના સુંદર રૂપના મોહમાં ફસાઈ જતા. ત્યારબાદ ડાકણો તેમને ગામથી દૂર નિર્જન સ્થળે લઈ જતી. ત્યાં તે યુવક સાથે શારીરિક સંબંધ બાંધતી. આ જ દરમિયાન તક જોઈને તે પોતાની લોહીની તરસ છિપાવી લેતી. ત્યારબાદ તેમનો બલિ ચઢાવીને વધેલા રક્તનો ઉપયોગ તાંત્રિક વિધિઓમાં કરતી. વિધિ પત્યા પછી તેઓ યુવાનનું કાળજું કાઢીને તેનું ભક્ષણ કરતી. સવાર પડે તે પહેલાં જ તે ગામની ભાગોળમાં આવેલા કોઈ પણ ઝાડ પર યુવાનની લાશ લટકાવી દેતી. ડાકણોનો પ્રકોપ અને ગામલોકોનો ડર ધીરે-ધીરે વધતો ગયો. ગામના લોકો રાત્રે કોઈ પણ સંજોગોમાં ઘરમાં પુરાઈ રહેવાનું પસંદ કરતા, પરંતુ તેનાથી કોઈ ફરક ના પડયો. જે પહેલાં રાત્રે ઘટતું તે હવે દિવસે ઘટવાનું શરૂ થઈ ગયું.
દરરોજ ઝાડ પર ગામના કોઈ ને કોઈ કુંવારા યુવાનની લાશ લટકતી મળતી અને આ બધી જ લાશોમાંથી લોહી અને કાળજું ગાયબ હોતાં. આ ઘટનાઓને કારણે ડરેલા ગામવાસીઓનો પારો સાતમા આસમાને પહોંચી ગયો. તેમણે એક વાર યુક્તિ કરીને ડાકણોને પકડી લીધી અને ઝાડના થડિયા સાથે બાંધીને તેમને સળગાવવાનું શરૂ કર્યું. અગ્નિમાં ભડભડ બળતી અને કારમી ચીસો પાડતી ડાકણોએ ગામલોકોને કહ્યું કે તેઓ પાછી આવશે અને પોતાનો બદલો લેશે.
આ ઘટનાને પાંચ સદીઓ વીતી ગઈ, ડાકણોનો ખોફ હજુયે બધાનાં દિલોમાં બરકરાર છે. તે સમયથી લઈને અત્યાર સુધી ગામમાં કેટલીક બાબતો ર્વિજત છે. તેની પાછળ એવી માન્યતા છે કે જો તેનું પાલન કોઈ નહીં કરે તો, ડાકણો પાછી આવી જશે. તેથી જ હારંગુલ ગામમાં આજેય ઝાડ પર ખીલી ઠોકવી, પેશાબ કરવો, થૂંકવું, રાત્રે ઝાડ નીચે સૂવું કે બેસવું ર્વિજત છે. આ બાબતોને અવગણીને કોઈ ર્વિજત કાર્ય કરે તો તે ડાકણોનો આત્મા આવીને તેને પોતાની તરફ આકર્ષે છે અને પછી તેનો બહુ ખરાબ અંજામ આવે છે. હારંગુલ ગામની ડાકણોની આ કથા પરથી અનેક ટીવી સિરિયલ અને ફિલ્મો બની ચૂકી છે.

No comments:

Post a Comment