Tuesday 16 June 2015

free 100 rs recharge only android))--- https://mcent.com/r/EQP0VD
free 100 rs recharge ))--- https://mcent.com/r/EQP0VD

Friday 22 May 2015

તમને વાંચવાનો બહુ જ શોખ છે. આ માટે તમે લાઇબ્રેરીમાં જતા હોવ છો. તમને ત્યાં કોઈ હેરાન કરતું નથી. ધારો કે ત્યાં જ તમારી આજુબાજુથી કોઈ ભૂત, કોઈ પરછાઈ કે હવામાં તરતી કોઈ માનવાકૃતિ પસાર થઈ જાય તો? તમારી હાલત શું થાય? જો કોઈને એમ લાગતું હોય કે એમાં વળી ડરવાનું શું? તો તેમની બહાદુરી જોવા એક વાર સાચે જ આવી પરિસ્થિતિ સર્જાતી હોય તેવી જગ્યાએ તેમને લઈ જવા પડે. આજથી લગભગ ૧૩૦ વર્ષ પહેલાં શરૂ થયેલી એક લાઇબ્રેરીની વાત છે. વિક્ટોરિયન શૈલીની સરસ ભવ્ય ઇમારત. તેના મૂળ માલિકના નામ પરથી રાખવામાં આવેલું એ ઇમારતનું નામ અને ત્યારબાદ તે જ નામ પરથી તે ઇમારતમાં બનાવવામાં આવેલી લાઇબ્રેરીનું પણ નામ રાખવામાં આવ્યું. ઇન્ડિયાનાના કેન્ટસ્કીની વોલબરા નદીથી જમણી તરફ આવેલા ઇવાન્સવિલેમાં એક ઇમારત ખૂબ જાણીતી છે. ફર્સ્ટ એવન્યુની આ ઇમારત આમ તો બની હતી ૧૮૮૧માં, જેનો ઉપયોગ ૧૮૮૫માં શરૂ થયો હતો. આ ઇમારતને ૧૩૦ વર્ષ થવા આવ્યાં. વિલાર્ડ કાર્પેન્ટર નામના એક રઈશે કે જેમને 'પાયોનિયર ઓફ પબ્લિક ચેરિટી' તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમણે ૧૮૭૬માં એક ટ્રસ્ટ બનાવ્યું. તેમણે એક મોટા ગાર્ડન સાથેની એક ભવ્ય પ્રોપર્ટી બનાવી હતી. પાછળથી તેમણે આ ઇમારતને એક ભવ્ય લાઇબ્રેરી બનાવવાનો વિચાર કર્યો. વિલાર્ડનું સપનું જ્યારે પૂર્ણ થયું અને લાઇબ્રેરી ૧૮૮૫માં ખુલ્લી મૂકવામાં આવી ત્યારે તેમણે કહ્યું હતું કે, "આ લાઇબ્રેરી બનાવવા પાછળનો મારો આશય છે કે ઇવાન્સવિલે આર્ટ, કલ્ચર અને ઇન્સ્ટિટયૂશનમાં ખૂબ પ્રગતિ કરે, આગળ વધે અને તેથી જ હું આ લાઇબ્રેરી સામાન્ય જનતા માટે ખુલ્લી મૂકું છું." મિ. કાર્પેન્ટરના કિસ્સામાં અજબ બન્યું. કહેવાય છે કે વિલાર્ડની એક દીકરી હતી. લુઇસ કાર્પેન્ટર, જેને વિલાર્ડનું વર્તન નહોતું ગમ્યું. તે નહોતી ઇચ્છતી કે તેના પિતા તેમની આટલી મોટી પ્રોપર્ટી કોઈ લાઇબ્રેરી બનાવવા માટે આપી દે. વિલાર્ડનું જ્યારે મૃત્યુ થયું ત્યારે તેમણે તેની વસિયતમાં પણ તેના તમામ પૈસા આ લાઇબ્રેરીને દાનમાં આપી દીધા હતા. પુત્રી લુઇસને વિલાર્ડે પોતાની વસિયતમાંથી પણ બાકાત રાખી. આખરે ૧૮૯૦માં લુઇસે વિલાર્ડ લાઇબ્રેરી વિરુદ્ધ કોર્ટમાં કેસ કર્યો. તેની દલીલ હતી કે તેના પિતાએ લાઇબ્રેરીને જે પૈસા આપ્યા હતા તે લાઇબ્રેરી તેને પરત કરે, કારણ કે તે વિલાર્ડની દીકરી હોઈ તેમના પૈસા પર સાચો હક્ક તેનો બને છે. લુઇસ કોર્ટમાં કેસ હારી ગઈ. લાઇબ્રેરી પાસેથી તેને એક પણ રૂપિયો ન મળ્યો પણ લુઇસ માનવા જ તૈયાર ન હતી. તેણે ફરી ઉપરની કોર્ટમાં અપીલ કરી, પણ લુઇસ ત્યાં પણ કેસ હારી ગઈ. બંને કોર્ટમાંથી કેસ હારી જતાં લુઇસને બહુ જ ગુસ્સો આવ્યો. તે કોઈ પણ સંજોગોમાં પોતાની આ હાર સ્વીકારવા તૈયાર નહોતી અને કહે છે કે તેણે પોતાની બાકીની આખી જિંદગી ખૂબ તકલીફમાં વિતાવી હતી. લુઇસ તેની આખી જિંદગી દરમિયાન લાઇબ્રેરી માટે ઝેર ઓકતી રહી અને આ જ બધાં કારણોથી તે મરી ત્યારે પણ તેના આત્માને શાંતિ નહોતી મળી. આમ તે અધૂરી ઇચ્છાને લઈને જ વિશ્વમાંથી ગઈ. કેટલાંક એમ પણ કહે છે કે વિલાર્ડની આ દીકરીનું નામ લુઇસ નહીં પણ સારાહ હતું, જેને આજે લોકો લેડી ઇન ગ્રે તરીકે ઓળખે છે અને લેડી ઇન ગ્રેનું એટલે કે લુઇસનું યા સારાહનું ભૂત આજે પણ વિલાર્ડ લાઇબ્રેરીમાં રહે છે. જ્યારે બીજી એક લોકવાયકા અનુસાર૧૯૮૫માં એક ખૂબ જાણીતા પેરાસાઇકોલોજિસ્ટ મિસિસ લ્યુકાઇલ વોરેનને આ લાઇબ્રેરીમાં તપાસ અને રિસર્ચ કરવા બોલાવવામાં આવ્યાં હતાં. તેમનું મંતવ્ય અને રિસર્ચ કંઈક અલગ છે. તેઓ કહે છે કે મિસિસ વોરેને આ લેડીનું ભૂત સૌ પ્રથમ ચિલ્ડ્રન્સ લાઇબ્રેરીના હિસ્સામાં જોયું હતું. તેમણે પોતાના રિસર્ચ પેપરમાં આ ભૂત વિશે એટલી ઝીણવટભરી માહિતી આપી છે કે આ ભૂતની હેર સ્ટાઇલ, કપડાં અને તેમની સ્ટાઇલ સુધ્ધાં તેમણે તેમાં લખ્યાં છે. તેઓ લખે છે કે આ લેડી ભૂત ૧૯મી સદીની શરૂઆત પહેલાંના સમયનું હોય તેવું લાગે છે. તેઓ કહે છે લેડી ઇન ગ્રે એટલી શરમાળ છે કે તે તેમની સાથે વાત પણ કરી શકતી નહોતી અને સતત વોટરપુલ સામે તાકી રહી હતી. લેડી ઇન ગ્રેની આ વર્તણૂકથી વોરેનને જે સાઇકોલોજિકલ કોલ આવ્યો તે એ હતો કે આ ઇમારતના બાંધકામ વખતે અહીં એક વોટર કેનાલ હતી. જેમાં પડતું મૂડી આ લેડીએ આત્મહત્યા કરી હતી. જેનું ભૂત આજે પણ તે લાઇબ્રેરીમાં ભટકે છે. મિસિસ વોરેન તો ત્યાં સુધી કહે છે કે તેને ખબર જ નથી કે આ એક લાઇબ્રેરી છે અને તેના મૃત્યુ બાદ અહીં આ ઇમારત બંધાઈ હતી અને આજે આ જ કારણથી તે ખૂબ જ કન્ફયૂઝ હોય તેવું દેખાય છે. લેડી ઇન ગ્રેનું ભૂત સૌ પ્રથમ ૧૯૩૦માં વિલાર્ડ લાઇબ્રેરીના કેરટેકરે જોયું હતું. જ્યારે તે મોડી રાત્રે ચિલ્ડ્રન્સ લાઇબ્રેરીમાં ગયો હતો, તે વખતે રાતના લગભગ ત્રણ વાગ્યા હતા. કેરટેકર તેને જોઈને એટલો બધો ડરી ગયેલો કે તે બીજે દિવસે ખૂબ બીમાર થઈ ગયો અને તેણે લાઇબ્રેરીની નોકરી પણ છોડી દીધી. ત્યારબાદ તેની જગ્યાએ બીજો કેરેટેકર રાખવામાં આવ્યો.

Thursday 21 May 2015

bhutiya mahel part 2. હવે એ પ્રકાશની ખૂબ જ નજીક પહોંચી ગયો હતો. પ્રકાશની એકદમ નજીક આવતા જ એક ખંડેર જેવું મકાન દેખાયું.... એ ખંડેર જેવા મકાનમાં એક વિશાળ ઓરડો હતો. એ જ ઓરડાની વચ્ચે એક ચબૂતરો હતો. તેની પર માટીનો દીવો મૂકેલો હતો,આ જ દીવાનો એ પ્રકાશ હતો. જે દૂરથી દેખાઈ રહ્યો હતો અને જેનાથી એ ખેંચાઈને છેક ખંડેર સુધી આવી પહોંચ્યો હતો.હજી તો એ ઓરડાની અંદર દાખલ જ થયો હતો,ત્યાં જ અચાનક જ દૂરથી એક સ્ત્રીનો અવાજગૂંજી ઊઠયો.... 'તો વિશાલ! તું આજે આવી ગયો કેમ?'એ અવાજ એટલો ભયાનક અને ખોફનાક હતો કે અગર ડોક્ટરની જગ્યાએ બીજો કોઈ કાચાપોચા દિલનો માણસ હોત તો ત્યાંજ ડરનો માર્યો બેભાન થઈને ઢળી પડત.'કોણ છે... તું સામે કેમ નથી આવતી?'વિશાલ! તું મને ભૂલી જઈ શકે છે, પણ હું તને કઈ રીતે ભૂલી શકું?ડોક્ટર વિશાલ... યાદ કર.... આજથી પંદર વર્ષ પહેલાં જ્યારે તું કોલેજમાં હતો.... એ સમયે એક યુવતી તને દિલોજાનથી પ્રેમ કરતી હતી.'વિશાલ અવાજના સહારે આમથી તેમ ફાંફા મારી રહ્યો હતો,કે આખરે એ અવાજ કોનો હતો?વિશાલના કપાળ પર પરસેવાના ટીપાં ઉપસી આવ્યા હતા. પરસેવાને લૂંછતાં અને ગળાને સાફ કરતા વિશાલ બોલ્યો, 'હંુ તારી કોઈ પણ વાતનો કંઈ પણ જવાબ આપી શકું તેમ નથી... જ્યાં સુધી તું મારી સામે નહીં આવે....''જમાનો બદલાઈ ગયો છે, વિશાલ,પણ તું ન બદલાયો... તું એ જમાનામાં પણ જિદ્દી હતો.... અને આજે પણ એ જ સ્વભાવ છે. હું તારી સામે આવીશ.... અવશ્ય આવીશ... ડિયર! પણ અત્યારે નહીં... મેં તારી રાહ જોતા જોતા પૂરા ચૌદ વરસ વિતાવી દીધા છેતો તું થોડાંક દિવસોની રાહ નથી જોઈ શક્તો?વિશાલની હિંમત હવે ડબવા લાગી હતી... અને એ પરસેવે રેબઝેબ થવા લાગ્યો હતો. હવે એને થોડો થોડો ડર પણ દિલમાં મહેસૂસ થવા લાગ્યો હતો. અને એના લીધે જ એનું શરીર ધ્રૂજવા લાગ્યું હતું. આજે જીવનમાં પહેલી વાર જ અમે વિશ્વાસ બેસી ગયો કે,પ્રેતાત્માઓ પણ હોય છે!'વિશાલ! ફરીથી એ સ્ત્રીનો અવાજ ગૂંજી ઉઠયો. હા તો હવે તું આરામથી ઘેર જા... રાત ઘણી વીતી ચૂકી છે. હું વચન આપું છું કે તું જ્યારે અહીં આવીશ,ત્યારે હું તને મારું અસલી સ્વરૂપ અવશ્ય બતાવીશ અને મને જોયા પછી તને તારા દરેક સવાલોના જવાબો આપોઆપ જ મળી જશે.'વિશાલે ખીજભર્યા અવાજમાં કહ્યું, 'તું જે કોઈ પણ હોય,તું ધ્યાનથી સાંભળી લે... હું હવે પછી અહીં ક્યારેય નહીં આવું. મને તારું અસલી શરીર જોવામાં કોઈ રસ નથી.''વિશાલ! આ ઓરડામાં આવીને તેં અતિ ભયાનક ભૂલ કરી છે. હવે તો તું એ જ કરીશ... જે હું ચાહીશ.... તો સાંભળ! પરમ દિવસે અમાસ છે. તો તારે રાતના અગિયાર વાગ્યા સુધીમાં અહીં આવવાનું છે, અને હા... જતાં જતાં એક વાત ધ્યાનથી સાંભળતો જા, તુંપહેલો એક એવો ઈન્સાન છે,જે આ ભૂતિયા ખંડેરમાં આવીને પણ હેમખેમ પાછો જઈ રહ્યો છે. નહીંતર છેલ્લા પંદર વર્ષથી એવો ઈતિહાસ રહ્યો છે કે,અહીંથી ઈન્સાનોની લાશોજ ઉઠાવવી પડે છે. જીવતાં પાછા ફરવાનું ફક્ત તારા નસીબમાં લખાયેલું હતું.''હું જાઉં છું. તું મારું કશું જ બગાડી નહીં શકે. મારી વાટ પરમ દિવસે તો શું,વરસો સુધી જોતી રહેજે. હું પાછો ફરીને ક્યારેય નહીં આવું.''જા વિશાલ અગર મારો પ્રેમ સાચો હશે તો તારે આવવું જ પડશે. કોઈ પણ હિસાબે... પરમ દિવસે અમાસની અંધારી રાતે તારે અહીં આવવું જ પડશે.'વિશાલ એ ભૂતિયા ખંડેરમાંથી નીકળીને સીધો પોતાની મોટરસાઈકલ તરફ આવ્યો. ત્યાં આવીને જોયું તો મોહન ટૂંટિયું વાળીને બેઠો હતો. ડોક્ટર વિશાલ અહીં આવતાં જ એ અંધારાના કારણે ડરી ગયો. અને જોરજોરથી ચિલ્લાવા લાગ્યો. ભૂત... ભૂત... બચાવો.વિશાલે કહ્યું: અરે! શું ગળું ફાડી ફાડીને બૂમો પાડી રહ્યો છે?હું ડોક્ટર વિશાલ છું.'ડોક્ટર વિશાલનું નામ સાંભળતાં જ મોહનના જીવનમાં જીવ આવ્યો. એ રાહતભર્યો શ્વાસ ખેંચતા બોલ્યો, 'ભગવાનની લાખ લાખ અહેસાન માનો કે તમે એ પ્રેતાત્માની ચુંગલમાંથી પાછાં આવી ગયા. નહીંતર આજ દિવસ સુધી ત્યાં જે ગયો છે એ ક્યારેય પાછો ફર્યો નથી. અગર પાછો ફર્યો હશે તો જીવતી લાશ બનીને ફર્યો હશે.વિશાલે મોટરસાઈકલ ચાલુ કરવામાં એક જ કીક મારી,કે એ સ્ટાર્ટ થઈ ગઈ. હેડલાઈટ પણચમકી ઊઠી...આખા રસ્તે એ વિચારતો રહ્યો કે,પ્રેતાત્માએ એને પડકાર ફેંક્યો છે.... કે અમાસની કાળી ભમ્મર રાતે એને આવવું જ પડશે. વિશાલે મનોમન નિશ્ચય કરી લીધો કે, જે કંઈ પણ હોય,પણ હવે એ પોતે આ જગ્યા પર ક્યારેય નહીં આવે.ઘેર આવીને વિશાલ જમીને સૂઈ ગયો. બીજા દિવસે સવારે જ્યારે એ સૂઈને ઊભો થયો. ત્યારે કંઈક સામાન્ય હતો.બીજા દિવસે અમાસ હતી. આખો દિવસ દર્દીઓ સાથે વીતી ગયો. જેથી સાંજ પડી કે,વિશાલઘર તરફ રવાના થયો. રસ્તામાં કોણ જાણે એને અજબ બેચેની થવા લાગી. ધીરે ધીરે એની વિચારવા અને સમજવાની શક્તિ દૂર થતી ગઈ. ક્યારે એવો મોટરસાઈકલ બીજા રસ્તા પર વાળી લીધી,એની એને ખુદને પણ ખબર નહોતી. એ એ જ જગ્યાએ આગળ વધી રહ્યો હતો. જ્યાં ન જવાની એણે કસમ ખાધી હતી. મોટરસાઈકલ એ જ જગ્યાએ જઈને બંધ થઈ ગઈ,જ્યાં બે દિવસ પહેલાં એ ભયાનક રાતે થઈ હતી. વિશાલ ક્યાં જઈ રહ્યો હતો. એની એને ખુદનેખબર ન હોતી. મોટરસાઈકલ ઊભી કરીને એ ભયાનક ગાઢ અંધકારમાં એ જ ભૂતિયા ખંડેર તરફ આગળ વધવા લાગ્યો. જ્યાંં એ પ્રેતાત્મા એના આવવાની વાટ જોઈ રહી હતી.'આવ વિશાલ આવ.'વિશાલ ગૂમસૂમ હાલતમાં ઓરડામાં દાખલ થયો. અને એ જગ્યાએ જઈને ઊભો રહી ગયો,જે જગ્યાએ દીવો સળગી રહ્યો હતો. 'વિશાલ! એ દીવો ઉપાડી લે...'વિશાલ એ પ્રેતાત્માનાએક એક અક્ષરનું પાલન કરી રહ્યો હતો. એણે દીવો હાથમાં લઈ લીધો.'હવે આગળ વધ અનેસામેની દીવાલ પર એક ખીલી મારેલી છે... એ ખીલીને ખેંચી કાઢ.'વિશાલે એવું જ કર્યું. જેવી ખીલી દીવાલમાંથી ઊખડી ત્યાં જ ખંડેરમાં એક સ્ત્રીનું ભયાનક અટ્ટહાસ્ય ગુંજી ઊઠયું. જોતજોતામાં આખો ઓરડો એક અજબ પ્રકારના અલૌકિક પ્રકાશથી ચમકી ઊઠયો. જ્યાંથી ખીલી ઉખાડવામાં આવી હતી એ દીવાલ પર એક સ્ત્રીનો પડછાયો ઉપસ્યો અને ધીરે ધીરે સ્ત્રીના રૂપમાં ફેરવાઈ ગયો. એ દરમિયાન વિશાલ ભાનમાં પણ આવી ગયો હતો. એની સામે સ્વર્ગની અપ્સરાને પણ શરમાવે એવી એક જુવાન સ્ત્રી ઊભી હતી. જે ધીમું ધીમું હાસ્ય રેલાવી રહી હતી.'કોણ છે તું?'વિશાલે પોતાના પર કાબૂ મેળવતાં પૂછયું.'વિશાલ! આજે તે મને મુક્તિ અપાવડાવી દીધી છે. હું તારા દરેક સવાલનો જવાબ આપીશ. હું મોના છું. યાદ આવ્યું?આજથી પંદર વરસ પહેલાં આપણે બંને એક કોલેજમાંભણતાં હતા. એકબીજાને પ્રેમ કરતાં હતા. આપણે એકબીજાને લગ્ન કરવાના કોલ આપ્યો હતા. પણ તેં લગ્ન પહેલાં જ મારી સાથે સંબંધ બાંધીને પછી મને તરછોડી દીધી. મારાપેટે બાળક રહી ગયું હોવાથી હું કોઈને મોઢું બતાવી શકવાને લાયક ન રહી. આથી મેં નદીમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો. પણ મારો આત્મા તને મેળવવા માટે ભટકવા લાગ્યો. મારા મોત પછી તું ગંભીર રીતે બીમાર હતો. હું તને મારી સાથે લઈ જવા માગતી હતી. મારી પાસે આવવા માટે તારું મોત જરૂરી હતું. એ દરમિયાન એક તાંત્રિકેમને અમુક સીમાઓથી બાંધી દીધી. હું ફક્ત તને ચાહતી હતી. પણ તાંત્રિકે મને કેદ કરીને આ સૂમસામ ખંડેરમાં લાવીને આ ખીલી સાથે દાટી દીધી. મને ફક્ત અમાસની રાતે જ મુક્તિ મળી શકે તેમ હતું. એટલે જ મેં તને અમાસની રાતે બોલાવીને તારા જ હાથે ખીલી કઢાવવાનું આ શુભ કામ કરાવ્યું.વિશાલ આવેશમાં આવી જઈને બોલ્યોઃ'હવે તું શું ચાહે છે? આટલા લોકોને તો મારી નાખ્યા,હજી તારી ભૂખ નથી સંતોષાઈ?'ખોટી વાત. મેં ક્યારેય કોઈને માર્યા નથી.હા,અહીં આ ઓરડામાં જે કોઈ આવ્યું. એને મેં અમુક સવાલ જરૂર કર્યા. અને અમાસની રાતે અહીં આવવાનું આમંત્રણ આપ્યું. પણ એમની કમનસીબી કહો કે, આ સૂમસામ ખંડેર પર એએક સ્ત્રીનો અવાજ સહન ન કરી શક્યા અને મરી ગયા એમાં મારો શું વાંક હતો?''હા... તો તું મારી પાસે શું ઈચ્છે છે?' વિશાલે પૂછયું.'તારું મોત. મારાથી દૂર રહીને હું ભટકતી રહીશ. મને ફક્ત તારું મોત જ આ પ્રેતયોનિમાંથી મુક્તિ અપાવી શકે છે. હા... હા... હા... વિશાલ... હવે તને મારાથી કોઈ અલગ નહીં કરી શકે...'બીજા દિવસે સવારે વિશાલની લાશ એ સૂમસામ ખંડેરના ઓરડામાંથી મળી આવી. લોકોએ એનેપ્રેતાત્માનો બદલો ગણાવ્યો. એ દિવસ પછી આજે વરસો બાદ પણ એ ભૂતિયા ખંડેરની આસપાસ કોઈને એ પ્રેતાત્મા દેખાઈ નથી.

Wednesday 20 May 2015

ટીનેજર્સ અને યંગસ્ટર્સ અત્યારે એક વિચિત્ર પ્રકારના'સેલ્ફી કલ્ચર'માં જીવે છે. સેલ્ફી આમ તો નિર્દોષ પ્રવૃત્તિ છે. દરેક પ્રવૃત્તિ એની મર્યાદામાં થાય ત્યાં સુધી જ નિર્દોષ,સહજ અને સ્વીકાર્ય હોય છે. અતિરેક અધોગતિ નોતરે છે. છેલ્લા થોડા સમયમાં સેલ્ફીના જે કિસ્સાઓ બહાર આવ્યા છે એ પછી સાઇકોલોજિસ્ટ્સે સેલ્ફીમાં સાવધાની વર્તવાની સલાહ આપી છે. સેલ્ફીનો ક્રેઝ ગાંડપણની હદ સુધી વકરતો જાય છે. સુંદર સેલ્ફી માણસને ર્નાર્સિસ્ટ બનાવે છે,બીભત્સ સેલ્ફી આફત નોતરે છે અને જો પૂરતી સમજ ન હોય તો સેલ્ફીના કારણે ડિપ્રેશન પણ આવી જાય છે. સેલ્ફી લો, અપલોડ કરો,લાઇક્સ અને કમેન્ટ્સ પણ મેળવો પણ જરા સંભલ કે!બ્રિટનમાં એક યંગસ્ટર્સે હમણાં આપઘાતનો પ્રયાસ કર્યો. કારણ શું હતું?એની સેલ્ફી સારી આવતી ન હતી! આ છોકરો દરરોજ દસ કલાકથી વધુ સમય મોબાઇલ પર બિઝી રહેતો. સારી સેલ્ફી આવે એટલે તેણે બાર કિલો વજન ઘટાડયું હતું. આખો દિવસ ફોન સાથે ચોંટેલો રહેતો હોવાથી એને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. મા-બાપ સાથે પણ એ ઝઘડા કરતો! બહુ મહેનત કરવા છતાં એની સેલ્ફી સારી ન આવતાં આખરે એણે આપઘાતનો પ્રયાસ કર્યો. સદ્નસીબે એ બચી ગયો. તેને માનસિક સારવાર આપવામાં આવી. એછોકરાએ કહ્યું કે હું દરરોજ ઓછામાં ઓછી ૨૦૦ સેલ્ફી લેતો હતો! સાઇકિયાટ્રિસ્ટ્સનું કહેવું છે કે તેને ફ્રેન્ડ્સનું સતત'એપ્રૂવલ'જોઈતું હતુંકે તે સુંદર છે! એને એ સમજ જ ન હતી કે એ જોખમી રમત રમી રહ્યો છે!આપણે ત્યાં પણ એવા અસંખ્ય ટીનેજર્સ અને યંગસ્ટર્સ છે જે દરરોજ પોતાનું પ્રોફાઇલ પિક્ચર બદલાવે છે. ઘણા તો દિવસમાં ત્રણ-ચાર વાર પણ ફોટો ચેઇન્જ કરતાંરહે છે. એ ક્યાંય પણ જાય તો સેલ્ફી લેવામાં જ બિઝી હોય છે. એને બીજી કંઈ જ પડીહોતી નથી. મેરેજમાં જશે તો ડેકોરેશન પાસે ઊભા રહીને સેલ્ફી લેતા હશે. મોલમાં તો આવાં દૃશ્યો કોમન થઈ ગયાં છે.શ્રીલંકાના એલન નામના યુવાને થોડા દિવસ અગાઉ જ તેના કાકાની ડેડબોડી સાથે સેલ્ફી લઈ સોશિયલ મીડિયા પર અપલોડ કરી હતી. આ સેલ્ફીની બહુ ટીકા થઈ. અમેરિકામાં એક ટીનેજર છોકરીએ સેમી ન્યૂડ સેલ્ફી લઈ અપલોડ કરીને લખ્યું હતું કે,એમ આઈ નોટ બ્યુટીફૂલ?ઇન્સ્ટાગ્રામ ઉપર હોલિવૂડ અભિનેત્રીઓની અસંખ્ય ન્યૂડ સેલ્ફી અપલોડ થઈ છે. એક કપલે સેક્સ પછીની સેલ્ફી અપલોડ કરી હતી. સવાલ એવો થાય કે માણસ આખરે શા માટે આવું કરતો હશે? જવાબ સીધો અને સટ છે. બધાંને 'એપ્રૂવલ' જોઈએ છે, બધાંને રેકગ્નિઝેશન જોઈએ છે, બધાંને લાઇક્સ જોઈએ છે, બધાંને કમેન્ટ્સ જોઈએ છે, બધાંને નોટિસ થવું છે!હવે એક બીજી વાત સાંભળો. અમેરિકામાં એક યંગ ગર્લે પોતાની સેલ્ફી લઈ અપલોડ કરી.તેના ટીખળી ફ્રેન્ડ્સે એવી કમેન્ટ્સ કરી કે તારું નાક ત્રાંસું છે,તારો હુલિયો ભંગાર છે,તૈયાર થવાની તને તમીઝ જ નથી. આ છોકરી આવી કમેન્ટ્સ વાંચી ડિપ્રેશનમાં સરી ગઈ. તેનું કાઉન્સેલિંગ કરવું પડયું કે બ્યુટી જ બધું નથી. આવડત અને નોલેજથી માણસની ઓળખ સાબિત થાય છે. માણસ સહાનુભૂતિ મેળવવા માટે પણ સેલ્ફી અપલોડ કરતાં હોય છે. અમેરિકાના અલાબામાની ટાઉની વિલોધબી નામની યુવતી અત્યંત સ્વરૂપવાન હતી. અચાનક તેને સ્કિનનું કેન્સર થયું. તેના મોઢા પર લોહીનાંલાલ ચકામાં ઉપસી આવ્યાં. તેણે પોતાની સુંદર તસવીર સાથે કેન્સરનાં ચકામાંવાળી તસવીર અપલોડ કરી અને અરેરાટી મચી ગઈ. ટાઉનીની તસવીર પચાસ હજાર વખત શેર થઈ! આ યુવતીએ લોકોની સહાનુભૂતિ બદલ આભાર માન્યો હતો!સેલ્ફી લેવાની લાયમાં મરી ગયા હોય એવા તો અનેક કિસ્સા છે. હજુ ગયા અઠવાડિયાની જ વાત છે. રોમાનિયાની અના ઉરસુ નામની ૧૮ વર્ષની છોકરી સેલ્ફી લેવા માટે ટ્રેનના ડબાની ઉપર ચડી. એના હાઇ વોલ્ટેજ વાયરને અડી ગઈ અને તરત જ તેનું મોત થયું. આપણા દેશમાં જ ત્રણ ટીનેજર છોકરી પાછળ ટ્રેન આવતી હોય એવી સેલ્ફી લેવા પાટા ઉપર ઊભી હતી. મોબાઇલ સામે જોવામાં તેને ભાન જ ન રહ્યું કે ટ્રેન સાવ નજીકઆવી ગઈ છે. આ ત્રણેય ટ્રેન નીચે કપાઈ ગઈ હતી. મેક્સિકોનો એક યુવાન પોતાના કપાળે ગન રાખીને સેલ્ફી લેતો હતો. ફોટો ક્લિક કરવા જતાં ગનની ટ્રિગર દબાઈ ગઈ અને તેનું ત્યાંને ત્યાં મોત થયું. રશિયામાં ૧૭ વર્ષની એક છોકરી એક પુલ ઉપરથી સેલ્ફી લેતી હતી. તેણે બેલેન્સ ગુમાવ્યું અને એ સીધી નીચે પાણીમાં પડી અને ડૂબીને મરી ગઈ.મુંબઈની એક કોલેજના પ્રોફેસરે કહ્યું કે,અત્યારની જનરેશન 'ટેક્નોલોજી એડિક્ટ'થઈ ગઈ છે. તેને મોબાઇલ,ટેબલેટ કે લેપટોપ વગર ચાલતું નથી. સ્કૂલ અને કોલેજમાં મોબાઇલ લાવવાની મનાઈ ફરમાવાઈ હોવા છતાં સ્ટુડન્ટ્સ લાવે છે. બાઇકની ડિકીમાં અથવા કારમાં મૂકીને આવે છે. તપાસ કરીએ તો એક કરતાં વધુ ફોન મળી આવે છે. અમારી એક લિમિટ હોય છે. એક હદથી વધુ અમે યંગસ્ટર્સને કંઈ કહી શકતા નથી. ખરું ધ્યાન તેનાં પેરેન્ટ્સે રાખવાનું હોય છે. મોંઘા ફોન લઈ આપો તેનો કંઈ વાંધો નથી પણ છોકરાંવ તેનો કેવો ઉપયોગ કરે છે તેનું ધ્યાન રાખવું જરૂરી છે.દિલ્હીના એક સાઇકોલોજિસ્ટ કહે છે કે,સેલ્ફી લેવામાં યંગસ્ટર્સ એટલા બધા એન્ગેજ હોય છે કે એ ઘટનાને ફીલ જ કરી શકતા નથી. ફોટા જ લેતા હોય છે. અરે,તમે જ્યાં છો એનો અહેસાસ તો કરો! ઝરણાં સાથે ફોટો લેવો એક વાત છે અને ઝરણાને ફીલ કરવું એ બીજી વાત છે. કોઈ પણ પાર્ટીમાં તમે જાવ તો તમને લોકો સેલ્ફી લેતાં જ જોવા મળે. હવે તો યંગસ્ટર્સ સેલ્ફી સ્ટિક પણ સાથે જ રાખવા માંડયા છે!અમેરિકાના મીડિયા સાઇકોલોજી રિસર્ચ સેન્ટરના ડાયરેક્ટર ડો. પામેલા રૂટલેગ કહે છે કે,જેની સેલ્ફી સારી આવે છે એના ઉપર 'ર્નાર્સિઝમ'માં સરી પડવાનો ભય રહે છે. હું સુંદર છું, બ્યુટીફૂલ છું, સેક્સી છું,હેન્ડસમ છું એવા વહેમમાં આવી જાય છે. અને જેની સેલ્ફી સારી નથી આવતી એ પોતાને નબળો સમજવા માંડે છે. આમ,સેલ્ફીમાં બંને તરફનું જોખમ રહે છે. ટીનેજર્સમાં એટલી સમજ નથી હોતી કે નેગેટિવકમેન્ટ્સને કેવી રીતે ટેકલ કરવી! એને તરત લાગી આવે છે. ક્લિનિકલ સાઇકોલોજિસ્ટ ડો. એન્ડ્રિયા લેશમેન્ડી કહે છે કે કેવી સેલ્ફી લેવી અને કેવી સેલ્ફી ન લેવી એની સમજ પણ હવે જરૂરી બની ગઈ છે. તમે તમારા બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ સાથે કેવી હરકતમાં સેલ્ફી લો છો અને અપલોડ કરે છો તેના ઉપરથી લોકો તમારું માપ કાઢતાહોય છે અને તેનાથી તમારી એક ઇમેજ બંધાતી હોય છે. જે લોકો દરરોજ સેલ્ફી અપલોડ કરે છે એના વિશે પાછળથી તો એવી જ વાતો થતી હોય છે કે હાલી નીકળ્યા છે, બીજું કોઈ કામ જ નથી, પોતાને હીરો કે હિરોઇન સમજે છે! લાઇક કરનારા પણ ટીકા કરતાં હોયછે!સેલ્ફીનો ક્રેઝ જોઈને લોકોને આકર્ષવા હવે તો સેલ્ફીની એપ પણ આવી ગઈ છે. આ એપ માણસ હોય એના કરતાં સારા દેખાય એવી તસવીર ખેંચી આપે છે. સામાન્ય સંજોગોમાં તો પોતાના હાથે જ સેલ્ફી લેવાની હોવાથી અને ડિસ્ટન્સ ઓછું હોવાથી સેલ્ફી સારી આવતી નથી,એટલે ઘણાં લોકો સેલ્ફી અપલોડ કરવાનું ટાળે છે. જોકે,યંગસ્ટર્સ લાંબો વિચાર કરતાં નથી. એ તો ફટ દઈને સેલ્ફી અપલોડ કરી દે છે. સેલ્ફી માટે મેકઅપ, ડ્રેસ,પોઝ અને પ્લેસ મહત્ત્વનાં ગણાય છે. સેલ્ફી માણસનો'મૂડ એક્સપ્રેસ' કરે છે. જોકે,માણસ ડિસ્ટર્બ હોય ત્યારે સેલ્ફી લેવાનું ટાળે છે.તમે સેલ્ફી લેતી વખતે શું વિચારો છો?શા માટે સેલ્ફી લો છો?સાઇકોલોજિસ્ટ્સ કહે છે કે આ અને આવા બીજા પ્રશ્નોના જવાબ માણસની માનસિકતા છતી કરે છે. મનોચિકિત્સક જોકે એમ પણ કહે છે કે સેલ્ફીના ઘણા ફાયદા પણ છે. સેલ્ફીથી માણસ ઇન્ટરેક્ટ કરતો થાય છે. તમે સેલ્ફી અપલોડ કરો પછી કોઈ કમેન્ટ્સ કરે તો તમે તેને જવાબ આપો છો. થેંક્યુ કહો છો. ક્યાંનો ફોટો છે એમ પૂછે તો જવાબ આપો છો. એરીતે માણસ ઇન્ટરેક્શન શરૂ કરે છે અને થોડોક એક્સ્ટ્રોવર્ટ થાય છે. ઘણા લોકોને વળી એકલાની સેલ્ફી લેવાનું ગમતું નથી. એવા લોકો પોતાના ફ્રેન્ડ્સ કે ફેમિલી મેમ્બર્સ સાથે સેલ્ફી લે છે. તેનાથી થોડુંક એટેચમેન્ટ પણ વધે છે. તમે જેની સાથે સેલ્ફી લો તેને એવું લાગે છે કે આ વ્યક્તિને મારી કદર છે. હું તેના માટે ઇમ્પોર્ટન્ટ છું.
જિંદગી અને મૃત્યુનો સિલસિલો ચાલતો જ રહે છે. કહેવાય છે કે જેમણે આ ધરતી પર જન્મ લીધો છે, તેમનું મરવાનું નિશ્ચિત છે. ઘણા બધા એવા લોકો પણ છે, જે એ વાત ઉપર પણ વિશ્વાસ કરે છે કે પેદા થતાં પહેલાં જ એ નિર્ધારિત થઈ જાય છે કે સંબંધિત વ્યક્તિનું મૃત્યુ ક્યાં, કેવી રીતે અને ક્યારે થશે. એટલું જ નહીં પૂર્વજન્મ અને પુનર્જન્મ પર વિશ્વાસ કરનાર બહુ જ આસાનીથી મળી જાય છે. કેટલાક એવા પણ લોકો છે જેઓ અતૃપ્ત અને અશાંત આત્માઓને ઇન્સાની દુનિયામાં હોવાની વાતને માને છે. પરંતુ એક સવાલ કોઈકના મગજમાં પણ આવેલો છે કે આખરે જિંદગી અને મૃત્યુના આ સિલસિલાની શરૂઆત ક્યાં અને ક્યારે થઈ? આમ તો વિભિન્ન દેશોમાં આ વિષયને સાંકળતી અલગ અલગ વાર્તાઓ છે, પરંતુ આજે આપણે અંદામાન દ્વીપસમૂહના નિવાસીઓની વચ્ચે બહુ જ ચર્ચાસ્પદ એક એવી ઘટના વિશે જાણીશું, જેનો સંબંધ જિંદગી અને મૃત્યુના ચક્રવ્યૂહ સાથે જોડાયેલો છે. કહેવાય છે કે અંદામાન દ્વીપસમૂહ પર રહેનારી વ્યક્તિ, પરામુરુદ પહેલો એવો મનુષ્ય હતો જેણે જિંદગી પછી મૃત્યુનો સ્વાદ ચાખ્યો હતો. એટલું જ નહીં એવું પણ કહેવાય છે કે પોતાના મૃત્યુ પછી તે ભૂત બનીને પાછો પણ આવ્યો હતો. સાંભળવામાં ભલે આ બધું તમને એક ટાઇમપાસ જેવું લાગે, પરંતુ સ્થાનિક લોકો અનુસાર પરામુરુદના મરવાની પાછળ એક બેહદ દર્દભરી વાત છુપાયેલી છે. અંદામાન દ્વીપસમૂહ પર પરામુરુદ પોતાની માતા અને ભાઈ સાથે રહેતો હતો. એક વાર પરામુરુદ શિકાર કરવા ગયો હતો, પરંતુ તે કોઈ પણ જાનવરને મારી શકવામાં સફળ થયો નહોતો અને તેને ખાલીહાથે પાછા ફરવું પડયું હતું. તેની માતાને બહુ જ ગુસ્સો આવ્યો, પરંતુ તેમ છતાં પણ તે ઘરમાં પહેલેથી જ રાખેલું માંસ પરામુરુદ સામે લઈ આવી અને તેને માંસ કાપવાનું કહ્યું. પરામુરુદ માંસ કાપવા લાગ્યો ત્યાં જ તે ધારદાર ચાકુ તેના પોતાના હાથમાં વાગી ગયું અને આ બધું જોઈને તેની માતાએ તેને કહ્યું, "તું મરી ગયો છે, અમે તને અમારી સાથે જોવા નથી માગતાં, આથી તું અહીંયાંથી દૂર જતો રહે." અસફળ શિકારમાંથી પાછા આવ્યા બાદ આમ પણ તેની માતા બહુ જ ગુસ્સામાં હતી. આથી તે પોતાના બીજા દીકરા સાથે પરામુરુદને જબરજસ્તીથી દફનાવવા માટે નીકળી ગઈ. પરામુરુદને જમીનમાં દાટી દીધા પછી તેઓ જ્યારે ઘરમાં પાછાં ફર્યાં તો પરામુરુદ પહેલેથી જ ઘરમાં હાજર હતો. તેણે પોતાની માતાને પૂછયું કે, "હું મરી નહોતો ગયો તો તમે મને કેમ જમીનમાં દફનાવી દીધો?" તેની માતાએ તેને કહ્યું કે, "હવે આ ઘરને તારી જરૂર નથી, આથી તારું મરવું જ બધા માટે યોગ્ય છે." માતા અને ભાઈએ મળીને કેટલીય વાર પરામુરુદને દફનાવવાની કોશિશ કરી, પરંતુ દરેક વખતે તે મોતના મોંમાંથી પાછો આવી જતો હતો. વારંવાર પ્રયત્ન કરવાને કારણે પરામુરુદની માતા પરેશાન થઈ ગઈ અને તે એને જંગલમાં લઈ ગઈ અને ત્યાં એક ઝાડને કાપીને તેણે પોતાના દીકરાને તેની અંદર જઈને આત્માઓ અને શેતાની તાકાતોની ચીસો સાંભળવાનું કહ્યું. પોતાની માતાની વાત સાંભળીને પરામુરુદ ઝાડની અંદર જતો રહ્યો અને જ્યારે તેણે શેતાની શક્તિઓ હોવાનો આભાસ થવા લાગ્યો તો તેની માતાએ તેને મરી ગયેલો જાહેર કર્યો. આ ઘટનાના થોડા દિવસ પછી પરામુરુદ ભટકતા આત્માના રૂપમાં પોતાના ઘરે પાછો આવી ગયો અને પોતાની માતા અને ભાઈને મોતને ઘાટ ઉતારી દીધા. અંદામાન દ્વીપસમૂહના લોકો આ દર્દનાક મોતને જ જીવન પછી થતા મૃત્યુનો આધાર માને છે.
ભૂતપ્રેત એવી બાબત છે જેના પર કેટલાંક લોકો વિશ્વાસ કરે છે તો કેટલાંક તેને અંધવિશ્વાસમાં ખપાવે છે, પરંતુ ખરી વાત તો એ છે કે જેના પર વીતે તે જ જાણે. દુનિયાભરમાં એવાં કેટલાંય સ્થળો છે જ્યાં ભૂતપ્રેતનો વાસ છે. આમાંથી એક ચીનની દીવાલ પણ છે. પ્રવાસીઓએ અહીં ભૂતાવળ ભટકતી હોવાનું જણાવ્યું છે ચીનની ગ્રેટ દીવાલ વિશ્વની સાત અજાયબીઓમાંથી એક છે. આ દીવાલનું બાંધકામ અનેક શાસકોના રાજમાં સદીઓ સુધી ચાલ્યું હતું. આ દીવાલની વિશાળતાનો અંદાજ એ બાબત પરથી જ આવી જાય કે, તેને અંતરીક્ષ સ્ટેશન પરથી પણ જોઈ શકાય છે. ક્યાંક એવા પણ દાવા થયા છે કે ચંદ્ર પરથી પણ ચીનની દીવાલને જોઈ શકાય છે. હશે! તે ક્યાંથી દેખાય છે કે ક્યાંથી નથી દેખાતી તે મહત્ત્વની વાત નથી, પરંતુ પૃથ્વી પર માનવ ર્નિિમત આ સૌથી લાંબી ને વિશાળ દીવાલ છે. ચીનની દીવાલના નિર્માણ દરમિયાન લાખો મજૂરો તથા સૈનિકોનાં મૃત્યુ પોતાનાં ઘરોથી હજારો માઈલ દૂર આ દીવાલની આસપાસ થયેલી દુર્ઘટનાઓમાં થયાં હતાં. હજારો વર્ષોમાં લાખો લોકો કમોતે મર્યા હોવાથી તેઓ ભૂત થયા છે. ચીનની દીવાલ ફરવા આવેલા અનેક પ્રવાસીઓને વિચિત્ર અનુભૂતિઓ થઈ હોવાનું તેઓ જણાવે છે. જેમ કે, ધૂંધળી આકૃતિઓ દેખાવી, અચાનક કોઈ અદૃશ્ય શક્તિ પોતાને જકડી રહી હોય તેવું લાગવું. કેટલાંક પ્રવાસીઓએ તો એટલે સુધી કહ્યું છે કે કોઈ અદૃશ્ય શક્તિએ તેમને થપ્પડ પણ મારી છે. વર્ષોથી અનેક પ્રવાસીઓના આવા અનુભવોને કારણે ધી ડેસ્ટિનેશન ટ્રૂથ નામની એક સંસ્થાએ ચીનની ગ્રેટ દીવાલ સાથે સંબંધિત રહસ્યમયી ઘટનાઓ વિશે સર્વેક્ષણ કર્યું. બીજિંગની ઉત્તર તરફ સ્થિત દીવાલના ભાગને 'વાઇલ્ડ વોલ' તરીકે ઓળખવામાં આવે છે તથા આ એ જ ભાગ છે જેને ભૂતાવળનું ક્ષેત્ર માનવામાં આવે છે. પોતાના સર્વેક્ષણ દરમિયાન આ સંસ્થાના સદસ્યોને રાત્રિના સમયે વાઇલ્ડ વોલની આસપાસ વર્ષોથી ઉજ્જડ પડેલા સૈનિક બેરેકમાંથી કેમ્પફાયરના ધુમાડા નીકળતા જોયા, પરંતુ ત્યાં કોઈ હતું જ નહીં. ત્યાં તેજ પ્રકાશના બે ગોળા પણ જોવા મળ્યા. કોઈના ચાલવાનાં પગલાંનો અવાજ પણ સાંભળવા મળ્યો. જોકે, તેમણે દાવો કર્યો કે ત્યાં તેમના સિવાય કોઈ જ નહોતું. આ જ ટીમના એક સભ્ય જોશ ગેટ્સને કોઈએ તેમને જકડી રાખ્યા હોય તેવો અનુભવ થયો તથા તેમની પીઠ પર લટકાવેલી બેગનું બટન ખોલીને તેમનો સામાન કોઈ ખરાબ રીતે ઊથલપાથલ કરીને જોઈ રહ્યું હોય તેવું લાગ્યું. ત્યારબાદ બેગ જમીન પર મૂકીને બધાએ જોયું તો તેમણે ગોઠવેલો બધો જ સામાન અસ્તવ્યસ્ત થઈ ગયેલો હતો. બેગની અંદરના એક ખાનાની વસ્તુ બીજા ખાનામાં મળી હતી, જ્યારે તે તો બંધ જ હતી. આમ, ગ્રેટ વોલ ઓફ ચાઇનાના વાઇલ્ડ વોલ ભાગમાં ભૂત હોવાની લોકોની વાત સાચી જણાઈ. જોકે, ચીનની દીવાલના ભૂતોએ ક્યારેય કોઈને મોટું નુકસાન પહોંચાડયું હોય કે મોત આપ્યું હોય તેવું ક્યારેય બન્યું નથી.